Ep33 – Pravar Samiti Na Purvajo Kahe Che | P P G Shasanprabhavak A Bh Sh Vijay Bhuvanbhanusuriji M S

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

Watch Episode 33: In the words of P. P. G. Shasanprabhaavak A. Bh. Shri Vijay Bhuvanbhanusuriji M S

તીર્થોના પ્રશ્ને શ્રમણોનું માર્ગદર્શન લેવા પૂર્વક પેઢી હંમેશા સક્રિય રહી છે ! ખરેખર ? પ્રવરસમિતિના પૂર્વજો કહે છે…….

“…..આ તબક્કે અમને કહેવા દો કે અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કે જેનું મુખ્ય કાર્ય શ્વેતામ્બર મૂર્તિપૂજકોનાં તીર્થોનું રક્ષણ કરવાનું તથા આવા અગત્યના પ્રશ્નોમાં સમાજના રાહબર બનવાનું છે, તેણે આચાર્ય ભગવંતોને મળવાનું ને તેમનાં દૃષ્ટિબિંદુને લક્ષમાં રાખીને વર્તવાનું ખૂબ જ જરૂરી છે. આ કહેવાનું મન એટલા માટે થાય કે અમે જાણીએ છીએ ત્યાં સુધી આ ગંભીર પ્રશ્ન અંગે તેણે આવું કોઈ પગલું ભર્યું નથી. અને હવે બીલ અંગે નિર્ણય થવાનો સમય સમીપ આવી રહ્યો છે, ત્યાં સુધી પણ આવું કોઈ પગલું ભરવાનાં ચિહ્નો દષ્ટિગોચર થતાં નથી. શું અમે માની લઈએ કે પેઢી આવું કંઈ જ કરવાની નથી ?

આજે ભારતભરના જૈનસંઘોમાં આ બીલ અંગે ઊંડી ચિંતા સેવાઈ રહી છે, એવા વખતે પેઢીના કાર્યવાહકોએ સ્પષ્ટ નિવેદન કરીને પોતાની કાર્યવાહી સમાજને જણાવવાની જરૂર છે અને આ બાબતમાં પૂજ્ય આચાર્ય ભગવંતોની સલાહ લઈને આગળ વધવાની આવશ્યકતા છે…..”

  • પ. પૂ. ગચ્છાધિપતિ શાસનપ્રભાવક આ. ભ. શ્રી વિજય ભુવનભાનુસૂરિજી મ. સા. (દિવ્યદર્શન અગ્રલેખ વર્ષ 9, અંક 10, 19-11-1960)

પ્રવરસમિતિના પૂજ્ય ભગવંતોને સવિનય પૂછવાનું કે, પેઢી શ્રમણોની સમ્મતિ વિના કાર્ય કરે છે. તેમ આપના ગુરુભગવંતો કહેતા હતા. જ્યારે આપ જણાવો છો કે, પેઢીના વહીવટકારો શ્રમણસંઘના નિર્દેશાનુસાર તીર્થનું સંચાલન કરે છે.

આપ બન્નેમાંથી કોનું માનવું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *